ગુજરાતની શાન એટલે ગીરના હાવજ...પણ હવે આપણી આ શાન ફિક્કી પડતી હોય તેવું લાગી રહ્યું છે અને તેની પાછળનું કારણ છે તંત્રની નિષ્કાળજી..આમ તો સરકાર સિંહોના રક્ષણની મોટી મોટી વાતો કરે છે પણ જ્યારે આંકડાઓ સામે આવે ત્યારં તંત્રની પોલ ખુલી જાય છે..વિધાનસભામાં સરકારે જ્યારે સિંહોના મોતના આંકડા આપ્યા ત્યારે સિંહોનું રક્ષણ કેટલું થઈ રહ્યું છે તેની વરવી વાસ્તવિક્તા સામે આવી ગઈ.