ગુજરાત સરકાર અને સુરત પોલીસ સબ સલામતની વાતો કરે છે ત્યારે સુરત વરાછા રોડના અને ભાજપના જ ધારાસભ્યએ પોલીસ કમિશ્નરને પત્ર લખીને પોલીસ દ્વારા જ તોડબાજી કરવામા આવતી હોય તેવા ગંભીર આક્ષેપ કર્યા છે. વરાછા રોડના ધારાસભ્યએ પોલીસ કમિશનરને પત્ર લખી કહ્યું ક્રેઈન નંબર-1 સરથાણાના બદલે બોમ્બે માર્કેટ વાહનો લાવીને તોડ કરે છે તેમની સામે કાર્યવાહી કરો પત્રમાં તેઓએ ખુલ્લો આક્ષેપ કરતા કહ્યું છે, પોલીસ વરાછા તરફ વાહનોને ટોઈંગ કરી તોડબાજી કરે છે, નાના માણસો લુંટાઈ રહ્યાં છે તેને અટકાવવા જરૂરી છે.