રખડતા ડાઘિયા શ્વાનના ત્રાસથી મુક્તિ ક્યારે? | Tak Live Video

રખડતા ડાઘિયા શ્વાનના ત્રાસથી મુક્તિ ક્યારે?

સુરતમાં 4 વર્ષની બાળકીનું શ્વાનના કરડવાથી મોત થઈ ગયું છે. જો કે આ કોઈ એક જિલ્લાની વાત નથી. રાજ્યભરમાં ઠેર-ઠેર શ્વાનના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે જામનગરની જનતા પણ શ્વાનના ત્રાસથી મુક્તિ ક્યારે મળશે તેવો સવાલ કરી રહી છે..